બરોલીયા


શ્રી ગુરુ રામાનંદ સ્વામી ની પરંપરામાં અનંતાનંદજી ના શિષ્ય ક્રુષ્ણદાસજી પયહારી ગલતા ગાદી જયપુરમાં થયા. તેમનાં મુખ્ય ૨૪ શિષ્યો માં  મુખ્ય કિલ્હદાસજી ની  પરંપરામાં  જોગવાનજી સંત દ્વારા પ્રવર્તક થયા. જેથી જોગવાનજી  શિષ્ય પરંપરા ત્યારથી  જોગવાનજી દ્વારા થી ઓળખાય છે. જોગવાનજી મહારાજ ની પરંપરા માં તુલસીદાસજી– ->તેમના શિષ્ય રામકુબેરદાસજી —>તેમના શિષ્ય રામમનોહરદાસજી —>તેમના શિષ્ય શ્યામદાસજી —>તેમના શિષ્ય દયળદાસજી —>અને તેમના શિષ્ય રામદાસજી (શ્યામદાસજી) મહારાજે સૌરાષ્ટ્ર યાત્રા વખતે લીંબડી બાજુનાં બરોલ ગામે ગાદી સ્થપી અને તેમની પરંપરા નાં સંતો ત્યારથી બરોલીયા શાખાથી ઓળખાય છે. તેઓ જોગનજી દ્વારાનાં છે. અને વૈષ્ણવ છે.